જોતાં જ્ગ્તસમુન્દર બહુ રુડો,
મથતાં મળે નહિ કાંઇ સાર, ઉગારોને બાળ, …….કહો કેમ તરું
માયા કેરાં મોજાં અતિ ઘણાં,
મોહમગર બહુ વિકરાળ, ઉગારો ને બાળ ………. કહો
કામ કેરાં વમળમાં પડી જતાં,
ક્રોધ ખડક સાથે અથડાય, કરો મારી સહાય ………. કહો
લોભ કેરી લીલ ત્યાં બહુ વળે,
પકડે જીવનું જોખમ થાય, બતાવો ઉપાય, ………. કહો
અજ્ઞાની હું બાળક તમ તણો,
વેદ- પુરાણનું નહિ ભાન, બીજું નથી જ્ઞાન ………. કહો
તુજ નામના નાવે તરી રહ્યો,
ડૂબતાં ઇજ્જત તારી જાય, ઝાલો મારી બાંય ………. કહો
પ્રેમ ધરી પ્રભુ મને તારજે,
હેતે રાખજે ચરણની પાસ, કહે મુળજીદાસ ………. કહો
- મૂળશંકર ત્રિવેદી
ONE HOW WANTS TO BE FREE,
NEEDS THE BOAT to RIDE in the world of Sea..
AND ONLY THE NAME THAT BOAT( OUR BODY) has to keep in Heart, Mind and Action IS THE NAME OF GOD,
WE ALL ARE THE one WHO IS THE SMALLEST PART OF THAT UNIVERSE.
IF WE TRUST IN THE NAMA OF THY,
IF WE TRY TO KNOW,
DO DAILY CHANTING!
HOW TRUE IS THE POET IN THIS BHAJAN.
I WILL SAY “TU HE TU TU HI TU ,TU HI TU MY SWEET GOD”
JAI BHAGAVAN.
પ્રભુ સ્મરણનુ સુંદર ભજન…
આભાર…
very nice..