તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

મન મોહન કૃષ્ણ મુરારી June 10, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 8:06 pm

..મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..

ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..

જોઇ વળ્યો હું મંદિર મંદિર, જોઇ વળ્યો હું હવેલી..

ક્યાંય ના જોઇ જાદવ તારી, શ્યામ સુરત અલબેલી..!

તલસે આંખલડી મારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..

ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..

ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!

હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..

કોક બતાવો સાચુ મુજને, શ્યામ તણું સરનામુ ..

હું પરવશ મુજ પ્રાણ જીવન નાં, ક્યાં જઇ દર્શન પામુ..?

તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..

મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..

ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?…

 

One Response to “મન મોહન કૃષ્ણ મુરારી”

  1. ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..

    ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!

    હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..

    LOOK IN YOUR HEART OR IN “ALL LIVINGS LIFE”,
    ONE CAN FIND THE CREATOR……
    ” GOPALA GIRIDHARI”


Leave a Reply