તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

એક દીન જાવું જાણી June 30, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

એક દીન જાવું જાણી મન એક દીન જાવું જાણી
રામ ભજી લે પ્રાણી મન , એક દીન જાવું જાણી….. એક…

સગાં સહોદર સાથ ન આવે સંતજનોની વાણી….. એક…
કંચનકાયા ચીતા ચડાવી સ્નાન કરે શીત પાણી….. એક…

સર્વ જીવ પર દયા કરો એ માંહી પ્રભુ છે જાણી….. એક…
રામનામની ધુન લગાવો, અંતર પ્રેમ જ આણી….. એક…

દાસ મુળજી ભવસાગર ડુબે તો હાથ પકડી લો તાણી….. એક…
દયા કરી પ્રભુ વહારે ધાજો હેતે સારંગપાણી….. એક…

 

One Response to “એક દીન જાવું જાણી”

  1. HOW TRUE IS “MULAJI”.
    THANKS TO MY PARENTS WHO DRILL THIS WISDOM TO CARRY FOR OUR FAMILY.
    WE LOVE OUR MOTHER SHARADA AND FATHER MULSHANKER,”MULAJI-KALI TULASI”FOR EVER.


Leave a Reply