તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

પુજન શીવશંકરનું કરીએ July 28, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

પુજન શીવશંકરનું કરીએ, સાચી શીખ અંતરમાં ધરીયે,
પ્રેમે પુજી ભવસાગર તરીએ. ……………………….. પુજન.

મહીમા શીવમંદીરની ગાઉં, અહર્નીશ દર્શને જાઉં,
અંતરે પ્રેમ ઘણો લાવું …………………………………. પુજન.

મંદીર પર ધ્વજ ફરકે પ્યારો, ભગવો રંગ તેનો રે ન્યારો,
અનલરુપ તેને રે ભાળો………………………………… પુજન.

અનલ જેમ દોશ બધા બાળે, મનના સહુ દોશ જ જે ટાળે,
પછી આવે મંદીરની પાળે………………………………. પુજન.

મંદીરમાં વૃશભ પ્રથમ સ્થાપ્યો, મહામંત્ર જગતને આપ્યો,
મહીમા તેનો ગુઢ રહે વ્યાપ્યો……………………………પુજન.

વૃશભ જેમ ભાર ઘણો તાણે, સુખદુખને મનમાં નવ આણે,
સમજાવે છે પુજનને ટાણે……………………………….. પુજન.

પુજન પછી કુર્મ તણું થાયે, સમજતાં વહેમ સકલ જાયે,
મહીમા જો પ્રેમ ધરી ગાયે ……………………………….પુજન.

કુર્મ જેમ અંગો સંભાળે, મનુશ્યો માયા જો મારે,
થાયે ભવસાગરથી પારે…………………………………… પુજન.

પુજન પછી ગણપતીનું કરતાં, અંતરમાં આનંદને ભરતાં,
રીધ્ધી- સીધ્ધી-સ્વામીને સ્મરતાં……………………….. પુજન.

કટુવેણ કાન થકી સુણતાં, મસ્ત બની પેટ મહીં ભરતાં,
નાક તણી કીમ્મત સૌ કરતાં. ……………………………. પુજન.

અહંકાર ઉર ન પ્રગટાવે …………………………………….પૂજન.

 દર્શન ત્યાં તો દાદાતણું થાયે,અંતરમાં પ્રેમ ઘણો આવે,
દાદા નિજ ધર્મ જ સમજાવે…………………………….પૂજન.

પ્રહારો જગ્ત તણા સહેજો,કટુ વેણ કોઈને નવ કહેજો,
સદIનંદ આનંદમાં રહેજો ……………………………પૂજન.

વિષવાણી કંઠ મંહી ઢાંકો,ઉદરકે જિભમાં નવ રIખો,
આનંદનો અમૃત રસ ચાખો……………………..પૂજન.

દર્શન પછી માત તણું કરતાં,અંતરના દોષ બધા ટળતા,
શાંતિ કેરા સ્થાન પરે ઠરતા………………………………પૂજન.

ઘંટનાદે આરતી ત્યાં થાયે,સઘળું તે જિવન સમજાવે.
સમજે ભવસાગર તરી જાયે…………………………પૂજન.

મુળજી તારો બાલક તો બોલે,નથી કોઈ માતાપિતા તોલે,
શરણે રહી પ્રેમમહી ડોલે…………………………………..પૂજન્.
 

 

સદગુરુ July 25, 2007

Filed under: જીતેન્દ્ર મુળશંકર ત — સુરેશ @ 3:42 am

સદગુરુ મળતાં ભવસાગર માંહી કોઈ નથી ડુબ્યું રે.
સદગુરુ જેનો ઝાલે હાથ તેનું ભાગ્ય ખુલ્યું રે.

સદગુરુ શીષ્ય તણા યમદેવ હું’ને મારી હરખી રે,
સદગુરુ શીખવે અમરતાની રીત નચિકેતા સરખી રે.

સદગુરુ શરણું સંશય સબ-હરણું મહાસુખ કરણું રે,
સદગુરુ કરુણા થકી દુ:ખ પહાડ બની જાય તરણું રે.

સદગુરુ કરશે કૃપાદ્રષ્ટિ જયારે પ્રભુ મળશે ત્યારે રે,
સદગુરુ સંગ વિનાની નાવ ડુબી જશે આરે રે.

- ડોકટર. જીતેન્દ્ર મુળશંકર ત્રિવેદી

ગુરુપુર્ણીમા ના દિવસે માતા પિતા ને સદગુરુના ચરણોમાં પ્રણામ સાથે….

 

“સદગુરુ” DR. JITENDRA M. TRIVEDI July 25, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:53 am

                                ”સદગુરુ”

સદગુરુ મળતાં ભવસાગર માંહી કોઈ નથી ડુબ્યુરે.

સદગુરુ જેનો ઝાલે હાથ તેનું ભાગ્ય ખુલ્યુંરે.

સદગુરુ શિષ્યતણા યમદેવ હું’ને મારી હરખીરે,

સદગુરુ શિખવે અમરતાની રીત નચિકેતાસરખી રે.

સદગુરુ શરણું સંશય સબહરણું મહાસુખ કરણું રે,

સદગુરુ કરુણાથકી દુ:ખ પહાડ બનીજાય તરણું રે.

સદગુરુ કરશે કૃપાદ્રષ્ટિ જયારે પ્રભુ મળશે ત્યારે રે,

સદગુરુ સંગ વિનાની નાવ ડુબી જશે આરે રે.

ગુરુપુર્ણીમા ના દિવસે માતા પિતા ને સદગુરુના ચરણોમાં પ્રણામ સાથે….
ડોકટર. જિતેન્દ્ર મુળશંકર ત્રિવેદી

 

પ્રાર્થના - રવીન્દ્રનાથ ટાગોર July 22, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 10:12 pm

પ્રાર્થના - રવીન્દ્રનાથ ટાગોર

                 

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ -

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

                       

રવીન્દ્રનાથ ટાગોર   

                              

 

POEMS BY RAJENDRA TRIVEDI July 22, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 6:55 pm

મનડુ મુઝાયું - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ જાની on 13th July 2007

મનડું મુઝાયું ને આતમ ગભરાયો,
ક્યાંથી આવ્યો આ અંધકાર?

‘મુંઝા મા મારગમાં સહેજે ઓ દીલડા!’
અંતરમાં ઉભર્યો અવાજ.

દીવડો પ્રગટતાં, દુર થાય અંધાપો,
રાજી થાય આતમરામ.

અંતરના આતમને સમરી લે નીશદીન,
જાશે આ સુખ-દુખના ત્રાસ.

જ્ઞાન દીપ પ્રાગટ્યે નાશ થાય અંધાપો,
સુખ દુ: ખના થાશે વીરામ.

માટે રટી લે ઓ! અજ્ઞાની જીવડા
વ્હાલું આ નામ સીતારામ.

- રાજેન્દ્ર ત્રીવેદી

( તાજેતરમાં કરાવેલા ગ્લુકોમાના ઓપરેશન  પહેલાંની વ્યથા અને અંતરનો પ્રતીસાદ. )

Posted in રાજેન્દ્ર ત્રીવેદી, ગીત | 1 Comment »

સપનાનો રાજા - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ જાની on 11th July 2007

સુતાં તો સપને મળું, જાગુ તો મનમાંહી,
જાગીને જોયા કરું પીયુ દીસતો નાહી.

મુંઝાઈને મને માંડ્યા સરવા છુપા કાન,
તો પણ સંભળાયું નહીં સુંદર તારુ નામ.

ગભરાઈને બોલવા જીભે કરી ધમાલ,
શબ્દ એક પણ ના સુઝ્યો વર્ણવવાને આજ.

એવું શું મુજને કર્યું,  વીરહઝુરંતી આજ,
શીદને તું ચાલ્યો ગયો સપનાઓની સાથ.

હાય અભાગણ! મુજ જીવનમાં સપનાનું છે રાજ,
સુતાં તો સપને મળું, જાગ્યાં કેમ ન નાથ? 

- રાજેન્દ્ર ત્રીવેદી

         મેં રાજેન્દ્રની પહેલી કવીતા અહીં પ્રસીધ્ધ કરી ત્યાર બાદ આ તેની ચોથી કવીતા છે. તેની રચનાઓનું ધ્યાનથી નીરીક્ષણ કરીએ તો, અત્યંત સ્પષ્ટ રીતે સર્જનની પાકટતા પુષ્ટ થતી જણાશે.

         રાજેન્દ્રને આ માટે મારા અંગત અભીનંદન. મારા પ્રીય મીત્ર ! આ યાત્રા હવે ચાલુ જ રાખજે. મુળજી ભગતનો વારસો તારે સાચવવાનો છે.

           અન્ય સૌ નવોદીત કવીઓને વીનંતી કે તમે શરુ કરેલી ભાવ- અભીવ્યક્તીની યાત્રા અટક્યા વીના ચાલુ જ રાખજો. પ્રસીધ્ધી કે વાહ વાહ મળે કે ન મળે; પણ જ્યારે આપણે સર્જનની પ્રક્રીયાના પ્રવાસી બનીએ, ત્યારે આપણી અંદરની યાત્રા પણ જાણે-અજાણે શરુ થઇ જતી હોય છે. આપણા ભાવજગતના  પ્રચ્છન્ન પ્રદેશો ધીરે ધીરે આપણી આગળ ખુલતા જાય છે. અને એ અંદરની યાત્રાનો અનુભવ એક અદ્વીતીય અનુભવ હોય છે.

Posted in રાજેન્દ્ર ત્રીવેદી, ગીત | 4 Comments »

ઝી ટીવી - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ જાની on 7th July 2007

સાંજ પડતા દોડી દોડી આજ,
આવી બેઠી ઝી ટીવી ની પાસ.

વ્હાલા કેરી કરતી કરતી યાદ,
રડતી રડતી ઝી ટીવીની પાસ.

જોઈને રુદન પ્રીયાને નયન,
વ્હાલા પણ મુંઝાયા મન.

શું થયું પુછતા થયો સંવાદ,
ચુપ રહો ને મારે માટે આજ.

સાથે રહીને સાંભળી મેં વાત ,
આજ પછી ઝી ટીવી ની સાથ.

- રાજેન્દ્ર ત્રીવેદી

હવે આ સદાય હસતા ડોક્ટર કવીતાની પાછળ પડ્યા છે. કવીતાના મનનું ય વીશ્લેશણ થયું સમજો !!!

Posted in રાજેન્દ્ર ત્રીવેદી, ગીત | 1 Comment »

તારી રાહમાં - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ જાની on 5th July 2007

આજ ગઈ,
તારી રાહમાં.

દમ ગયો,
તારી રાહમાં.

શું રહ્યું ?
પુંછતા સૌને,

મોત મર્યું,
મારી રાહમાં.

મોતને પુછજે હવે,
મારી ખબર !

તે પણ રહીને રાખમાં
ઉડશે તારી વાટમાં.

- રાજેન્દ્ર ત્રીવેદી

Posted in રાજેન્દ્ર ત્રીવેદી, અછાંદસ | 1 Comment »

તુ ના’વી મારી પાસ- રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ જાની on 23rd June 2007

કાલની તો આજ થઈ,
ને
આજની થશે ય કાલ;
છતાં તુ  ના’વી મારી પાસ.

આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !

મળવા તને હું જીવું 
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,

છતાં તુ ના’વી મારી પાસ

- રાજેન્દ્ર ત્રીવેદી

        ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!        

       રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત - અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની!  આ ‘નેટડા’ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ‘ હાસ્ય દરબાર ‘ વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર  ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા - જે તમે ‘ તુલસીદલ ‘ પર વાંચી શકશો.

     બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ   કરાવતા રહે.

Posted in રાજેન્દ્ર ત્રીવેદી, અછાંદસ | 16 Comments »

 

 

WHO AM I ? Dhavarajgeera July 22, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 11:52 am

 WHO AM  ”I “? 

QUESTION TO THE MIND.

THE BODY OR MIND OR SPIRIT OR TRIED OF THREE?

ONE, WHO LEARNS IN LIFE GETS BEST TIME WITH THY.

SO, WAKE UP AND START THE TASK.   

TIME DO NOT WAIT,

 TIME MARCH ON AND ON TILL WE ALL DEPART.

THE END COMES SO FAST,

SO, WAKE UP AND START THE TASK.

 

બાળ પુકારે તારો July 21, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

બાળ પુકારે તારો, ભવસાગર છે ખારો
ભવસાગરથી તારો, હાથ પકડ પ્રભુ મારો ….. બાળ…

ઠોકર ખાતો, આગળ જાતો, પણ મુજને સંતાપ ન થાતો,
માયા કરે ગોટાળો, ભવસાગરથી તારો ….. બાળ…

અંધારામાં રખડું આજે, વનમાળી તુજને નવ છાજે,
મારગ કર અજવાળો, , ભવસાગરથી તારો ….. બાળ…

નીશદીન કરતો પુકાર, મુળજી, શું કરવું તે તારી મરજી,
બીરદ મળેલું પાળો , ભવસાગરથી તારો ….. બાળ…

 

તું જાગ્યો ત્યાંથી થયું સવાર… July 20, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:01 pm

તું જાગ્યો ત્યાંથી થયું સવાર

તું જાગ્યો ત્યાંથી થયું સવાર.

તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર….તું જાગ્યો

ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.


પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,


આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર.

તુંજાગ્યો….

પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,


મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,
ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર.

તુ જાગ્યો….

પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,


સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં
આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર.

તું જાગ્યો….

શબ્દરચના : રવિ ઉપાધ્યાય

 

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી…. July 19, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 11:48 am

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

 હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

 -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

 

મીરાંબાઈ. July 17, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:17 am

મીરાંબાઈનું જાણીતું પદ:

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ..