તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ September 9, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:00 pm

મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ

Posted on September 8th, 2007 by Jayshree.
Categories: હરિવરને કાગળ, સુરેશ દલાલ, ટહુકો, આશિત દેસાઇ, અનાર કઠિયારા, કૃષ્ણગીત.

કવિઃ સુરેશ દલાલ…..સ્વરકારઃ આશિત દેસાઈ……ગાયકઃ અનાર કઠિયારા

MEERA

મનના મેવાડમાં એક રાણો વસે છે,
રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા કરંડિયાને સાપ તો ડસે, સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

 

MICHAMIDUKADAM- JAI JINENDRA September 9, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 2:35 am

         જૈન બાંધવોનો અત્યંત લોકપ્રિય તેમજ પવિત્ર પર્વ એટલે પર્યુષણ. આજથી એટલે કે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી એક અઠવાડિયુ જૈન સમાજ પર્યુષણને મહાપર્વ તરીકે ઉજવશે. સમાજ પર્વને કેવળ ઉજવશે નહીં પરંતુ ઉપાસના કરશે. ગરીબ તવંગર સૌ કોઈ પર્વના રાજાને ધર્મનિષ્ઠથી અને હૃદયપૂર્વક ઉજવે છે.     પર્યુષણ એટલે મનનું પ્રદુષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનો પર્વ. જીતે તે જિન અને જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે, અહમનો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા અલગ છે. દેહ સાધન છે અને આત્મા સાધ્ય છે. સાધ્યનો રાહ તપ, ત્યાગ, અહિંસા અને સંયમથી ભરેલો છે. સાગર તરવા જેમ નાવ સાધન છે. જેમ સાગર પાર કરી નાવને સાથે રાખતું નથી તેમ સંસાર સાગર તરવા દેહ રૂપી નાવ છે. દેહને વળગી આત્માનું અસ્તિત્વ ભૂલી જવું જીવનદ્રોહ છે. વિચાર ફેલાવવા દેહને સાચવવો જરૂરી છે પરંતુ તેની આળ પંપાળ ધર્મદ્રોહ છે. આત્માને ઓળખવા મનુષ્યે અભય, અહિંસા અને પ્રેમ જીવનમાં કેળવા પડશે. દરેક સ્થળે ત્રાહિમામ પોકારાઈ રહી છે તો એમાંથી છૂટકારાનો ઉપાય આત્માની ખોજ છે. પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો પ્રયત્ન કરવો દરેક જૈનનો ધર્મ છે. નિર્મળતા વિના આત્મા સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી. —- કુમારપાળ દેસાઈ

પર્વાધિરાજ પર્યુષણનો મર્મ છે.

નવકાર

અંગૂઠે અમૃત વસે
લબ્ધી તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સમરિયે
વાંછિત ફલ દાતાર.

નમો અરિહંતાણમ નમો નમો
નમો સિદ્ધાણં નમો નમો
નમો આયરિયાણં નમો નમો
નમો ઉવજ્ઝાયાણં નમો નમો
નમો લોએ સવ્વ્સાહૂણં
નમો અરિહંતાણં નમો નમોએસો પંચ નમુક્કારો,
સવ્વ પાવ પ્પણાસણો
મંગલાણં સવ્વેસિં
પઢં હવઈ મંગલંનમો અરિહંતાણં નમો નમો                               

જય     જિનેંદ્ર