તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

મનવા કહું છું વારંવાર September 29, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર
ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર

પણ માયામાં તું લપટાયો ભૂલી ગયો કિરતાર ….. મનવા..

માત તાત તુજ સાથ ન આવે ના’વે કુટુમ્બ પરિવાર
ધન દોલત ને માલ ખજાના ઉતાર્શે નહિ પાર. ….. મનવા..

મોટા મહેલ ઝરુખા તારા પલંગ હિંડોળા ખાટ
અંતકાળના સમયે તુજને બતાવ્શે ના વાટ. ….. મનવા..

ભવસાગરને તરવા કાજે લેજે હરિનું નામ
પ્રેમ ધરીને પ્રભુને ભજતાં સરશે તારું કામ. ….. મનવા..

નામ તણું તું નાણું ભરજે ધ્યાન કુટુમ્બ પરિવાર
મન મંદિરને મહેલ બનાવો સ્મરણ તણો શણગાર. ….. મનવા..

‘મુળજી’ મનમાં હર્ષ ધરીને શોધી લેજે નાથ
અંતકાળના સમયે તારો પ્રભુજી ઝાલે હાથ. ….. મનવા..

 

2 Responses to “મનવા કહું છું વારંવાર”

  1. મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર,
    ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર.

    POET KNOWS AND REMINDS ALL THE FACT OF LIFE.
    THANKS,I LIVED AND LEARN FROM MY PARENTS
    THE TRUTH OF LIFE IN EARLY CHILDHOOD.

  2. chetu Says:

    મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર
    ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર

    ભવસાગરને તરવા કાજે લેજે હરિનું નામ
    પ્રેમ ધરીને પ્રભુને ભજતાં સરશે તારું કામ. ….. મનવા..

    સનાતન સત્ય …પ્રભુ કૃપા વિના થાય નહી બેડો પાર…!


Leave a Reply