અક્ષય તૃતીયા Our parents started this day AKHAND JYOT in 1945 of Mahalakhmi Mataji of Kheralu Our Kuldevi.
April 27, 2009
આજે વૈશાખ સુદ ત્રીજ [અખા ત્રીજ, અક્ષય તૃતીયા]
આજનો સુવિચાર:- એટલો આત્મ વિશ્વાસ રાખો કે પૃથ્વીના આવશ્યક મનુષ્યમાં ગણાઈએ. — ગોર્કી
અક્ષય તૃતીયા
ભારતીય પંચાંગ મુજબ વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા તમામ મંગલ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે. ખેડૂતો અને સાગરપુત્રો માટે આ દિવસ શુભ ગણાય છે. આજનો દિવસ હિંદુ માન્યતા મુજબ વગર મુહુર્તનો ગણાય છે એટલે કે આજના દિવસના બધા મુહુર્ત શુભ ગણાય છે. આ દિવસે વૈષ્ણવ મંદિરમાં વસંત પૂજન કરવામાં આવે છે તેમ જ શિવમંદિરમાં જલધારી મૂકવામાં આવે છે.
જૈન ધર્મ અનુસાર તેમના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાને અયોધ્યામાં શેરડીનો રસ [ઈક્ષુરસ] પીને ધારણા કર્યા હતા. આ પરંપરાથી જૈનધર્મના સાધુઓ-ગૃહસ્થો આજના દિવસે વરસી તપના પારણા કરે છે. શત્રુંજય પર જૈન યાત્રિકોનો મેળો પણ આ દિવસે ભરાય છે.
પ્રાચીન કથાનક મુજબ શિવ પાર્વતીજાના આ દિવસે લગ્ન થયા હતા. રાજા હિમાલયની પુત્રી પાર્વતી સાથે લગ્ન કરવા અંગે ભભૂતી લગાડી ગળામાં સર્પોની માળા શોભાવી તેમ જ અંગે વ્યાઘચર્મ ધારણ કરીને હાથમાં ત્રિશૂળ લઈ ભભૂતરંગી સાથીઓને લઈ ગયાહતા. એમનો આ ભભૂતરંગી રૂપ જોઈ પાર્વતીજીના માતા મેના મૂર્છિત થઈ ગયા હતાં. મેનાજીની મૂર્છા દૂર થતાં ઘણા દિવસો વીતી ગયા પરંતુ શિવજી દ્વાર પર ઊભા રહ્યા હતા. ચૈત્ર પૂરો થતા મેનાની મૂર્છા દૂર થતા વૈશાખ સુદ ત્રીજને દિવસે મેનાએ શિવજીને પોંખ્યા હતા. આમ ચૈત્ર મહિનો ‘મેનારક’ કહેવાય છે અને મોટેભાગે આ મહિનામાં હિન્દુ સમાજમાં લગ્ન નથી થતા.
સાગરપુત્રો એટલે ખારવાપ્રજા આ દિવસે વરુણદેવની પૂજા કરી દૂધનો ભોગ ચઢાવે છે અને હોમ હવન કરે છે.
કહેવાય છે કે સતયુગનો પ્રારંભ આજના દિવસથી થયો હતો. એટલે આજનો દિવસ ‘અક્ષય તૃતીયા’ શુભ દિવસ મનાય છે. ભગવાન પરશુરામજીનો જન્મ પણ આ દિવસે થયો હતો.
ભગવાન પરશુરામ વિષે વધુ વાંચવા નીચે લિંક આપી છે ત્યાં ક્લિક કરો .
http://shivshiva.wordpress.com/2007/04/20/sa-thio-2/
ૐ નમઃ શિવાય
Tulsidal Thanks Nilaben kadakia for this Publication.
Dear Neelaben,
on Akshaytrutia – Akhatrij Our father and mother were united to give our family the life as one.
This was 1924.
Also,On the same tithi in 1945 they started AKHANDJYOTI which is still buring in our pujaroom By Trivedi Parivar in USA.
And Our fiirst Grand Daughter Dharma is joining us to day.
Thanks to put This to day which will be part of tulsidal family history.
Geeta Rajendra and trivedi Parivar.
Tulsidal editor.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Rajendrabhai…..Visited & viewed the Posts……It is nice of you to have this TULSIDAL Blog in the memory of your parents. May you share the WISDOM & THOUGHTS of them.
It is nice to read this Post of AKSHYA TRUTIYA…May the AKHNAD JYOTI started in 1945 continue to give the JYOT ( Light ) always !
Your visits/comments on my Blog Chandrapukar mean a lot to me…& your Friendship is even more precious !
Chandravadan ( Chandrapukar )