પુજન શીવશંકરનું કરીએ, સાચી શીખ અંતરમાં ધરીયે,
પ્રેમે પુજી ભવસાગર તરીએ. ……………………….. પુજન.
મહીમા શીવમંદીરની ગાઉં, અહર્નીશ દર્શને જાઉં,
અંતરે પ્રેમ ઘણો લાવું …………………………………. પુજન.
મંદીર પર ધ્વજ ફરકે પ્યારો, ભગવો રંગ તેનો રે ન્યારો,
અનલરુપ તેને રે ભાળો………………………………… પુજન.
અનલ જેમ દોશ બધા બાળે, મનના સહુ દોશ જ જે ટાળે,
પછી આવે મંદીરની પાળે………………………………. પુજન.
મંદીરમાં વૃશભ પ્રથમ સ્થાપ્યો, મહામંત્ર જગતને આપ્યો,
મહીમા તેનો ગુઢ રહે વ્યાપ્યો……………………………પુજન.
વૃશભ જેમ ભાર ઘણો તાણે, સુખદુખને મનમાં નવ આણે,
સમજાવે છે પુજનને ટાણે……………………………….. પુજન.
પુજન પછી કુર્મ તણું થાયે, સમજતાં વહેમ સકલ જાયે,
મહીમા જો પ્રેમ ધરી ગાયે ……………………………….પુજન.
કુર્મ જેમ અંગો સંભાળે, મનુશ્યો માયા જો મારે,
થાયે ભવસાગરથી પારે…………………………………… પુજન.
પુજન પછી ગણપતીનું કરતાં, અંતરમાં આનંદને ભરતાં,
રીધ્ધી- સીધ્ધી-સ્વામીને સ્મરતાં……………………….. પુજન.
કટુવેણ કાન થકી સુણતાં, મસ્ત બની પેટ મહીં ભરતાં,
નાક તણી કીમ્મત સૌ કરતાં. ……………………………. પુજન.
અહંકાર ઉર ન પ્રગટાવે …………………………………….પૂજન.
દર્શન ત્યાં તો દાદાતણું થાયે,અંતરમાં પ્રેમ ઘણો આવે,
દાદા નિજ ધર્મ જ સમજાવે…………………………….પૂજન.
પ્રહારો જગ્ત તણા સહેજો,કટુ વેણ કોઈને નવ કહેજો,
સદIનંદ આનંદમાં રહેજો ……………………………પૂજન.
વિષવાણી કંઠ મંહી ઢાંકો,ઉદરકે જિભમાં નવ રIખો,
આનંદનો અમૃત રસ ચાખો……………………..પૂજન.
દર્શન પછી માત તણું કરતાં,અંતરના દોષ બધા ટળતા,
શાંતિ કેરા સ્થાન પરે ઠરતા………………………………પૂજન.
ઘંટનાદે આરતી ત્યાં થાયે,સઘળું તે જિવન સમજાવે.
સમજે ભવસાગર તરી જાયે…………………………પૂજન.
મુળજી તારો બાલક તો બોલે,નથી કોઈ માતાપિતા તોલે,
શરણે રહી પ્રેમમહી ડોલે…………………………………..પૂજન્.