Wishing you
“Happy Diwali and Prosperous New Year”
November 7th 2010 –
Vikram Samvat 2067.
Geeta and Rajendra
And Trivedi Parivar.
THE REAL JUICE OF LIFE IS WITHIN YOU.
The real juice of life is within you.
This very moment you can turn within yourself, look into yourself.
No worship is needed, no prayer is needed.
All that is needed is a silent journey to your own being.
I call it meditation, a silent pilgrimage to your own being.
And the moment you find your own center, you have found the center of the whole existence.
Osho
Wishing you
“Happy Diwali and Prosperous New Year”
http://en.wikipedia.org/wiki/Diwali
Diwali starts from today November 2nd 2010.Vaghbarash, Dhanterash, Kalichudash, Diwali (Chopada Pujan.) Nutan varsh 2067 on November 7th 2010.
Bhaibij is my Birthday.
Happy Dipawali.
Wishing you all peace And Happiness for years to come.
Rajendra Trivedi
http://www.bpaindia.org
Geeta and Trivedi Parivar wishing Happy Diwali too.
Respected all,
II असतो मा सद गमय II
II तमसो मा ज्योतिर गमय II
II म्र्युतोर माम्र्तम गमय II
ब्र्हदारन्याका उपनिसद 1.3.28
May this festive season of light bring lot of Joy, Health, Wealth & Prosperity to you and your family members.
Wishing you and your family a very Happy Diwali & Prosperous New Year.
FROM :
PRATIK – URMI (JOLLY) – NAMAN.
May This Diwali be as bright as ever.
May this Diwali bring joy, health and wealth to you.
May the festival of lights brighten up you and your near and dear ones lives.
May this Diwali bring in up the most brightest and choicest happiness and love you have ever Wished for.
May this Diwali bring you the utmost in peace and prosperity.
May lights triumph over darkness.
May peace transcend the earth.
May the spirit of light illuminate the world.
May the light that we celebrate at Diwali show us the way and lead us together on the path of peace and social harmony
“WISH You and the family A VERY HAPPY DIWALI”
HAPPY DIWALI
WISHING YOU ALL HAPPY DIWALI AND HAPPY NEW YEAR
May the festival of lights be the harbinger of joy and prosperity. As the holy occasion of Diwali is here and the atmosphere is filled with the spirit of mirth and love, here’s hoping this festival of beauty brings your way, bright sparkles of contentment, that stay with you through the days ahead.
Best wishes on Diwali and New year.
REGARDS TO ALL.
FROM
JIGNESH & FAMILY
દિવાળી ની બીજી બાજુ…
દિવાળી શું છે એ એમને ન પૂછો કે જેનાં ઘર ભારો ભાર ભરેલા છે..
પણ એમને પૂછો કે જે આ દિવસો માંડ પૂરા કરે છે..
એમને પૂછો કે જેમનાં ઘરે નવા કપડાં નો વરસાદ નથી થતો..
જેમનાં ઘરે ફટાકડા નથી આવતા..
જેમનાં ઘરમાં ઘી નાં દીવા નથી પ્રગટતા..
કારણ ખાવા માટે પણ ઘી નથી હોતુ..
જેમનાં ઘરે પપ્પા મોડેથી ઘરે આવે..
કારણ
બાળકોનો સામનો ન કરવો પડે..
અને બાળકો જલ્દી સુઇ જાય..
કે
મમ્મી પપ્પા ને ખરાબ ન લાગે..
જેમનાં ઘરે મિઠાઈઓ નાં પેકેટ નથી આવતા..
જેમનાં ઘરે ૫૦ રૂપિયાનાં તોરણ નથી બંધાતા..
જેમનાં ઘરે કોઇ આવતુ પણ નથી..
તો પણ બધાં એકબીજા સાથે હસીને જીવે છે ..
જાણે કાંઇ બન્યું જ નથી..
નીતા કોટેચા..
નૂતન વર્ષે નવી આષી…
— મુનિ મિત્રાનંદસાગર
નૂતન વરસ આવે એટલે માનવહૈયાં હિલોળે ચડે, ઘેર ઘેર પ્રસન્નતાના પમરાટ રેલાય, ઘરઘરમાં આનંદના ઉદધિ ઊછળે.
નવું વરસ એટલે નવું જીવન…
નવું વરસ એટલે નવાં સ્વપ્નો…
નવું વરસ એટલે નવી ઊર્મિ…
નવું વરસ એટલે નવા ઉમંગોને સાકાર કરવાની નવી ઘડી…
આવું નૂતન વરસ આવે ત્યારે સાલમુબારક થાય, અભિનંદનોની આપલે થાય, “નૂતન વર્ષાભિનંદન”નો ધોધ વહે, જૂની મૈત્રી તાજી થાય, મોં મીઠું થાય, બાળકોને વડીલોના આશીષ મળે, વડીલો ગુરુજનોના આશીષ મેળવે અને ગુરુજનો તો મંગલકામના વ્યક્ત કરે જ. આવી ઉમંગની પળે કવિજીવ પણ ઝાલ્યો રહે ખરો? એ પણ અભિનંદનોની હારમાળામાં પોતાનો સૂર પૂરાવે! આવા જ એક કવિરાજની મીઠી વાણી મંગલ આશીષ આપણે ઝીલીએ.
આ કવિ એટલે ગઈ સદીની અજોડ પ્રતિભા, અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી અને જનહિતના કામી એવા પૂજનીય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ!
એમનું નામ પણ મંગલ…
એમના આશીષ પણ મંગલ…
સાધુચરિત કવિ તો સર્વનાં આનંદ, મંગલ, સુખ, અમન, ચેન, શાંતિ અને હિતની જ કામના કરે. એમના જ શબ્દોમાં :
સદા આનંદની ચઢતી, સદા મંગલ સહુ હોજો;
જગતમાં શાંતિ સહુ પામો, નૂતન વર્ષે નવી આષી…
કવિની ભાવના તો આકાશને આંબે છે. એ ઇચ્છે છે સંઘર્ષોની સમાપ્તિ, મૈત્રીની પ્રાપ્તિ, ઘરઘરમાં દયાનું શાસન, અહિંસાની પ્રતિષ્ઠા; અને વિશેષ તો જ્ઞાનનાં અજવાળાં હૈયેહૈયામાં પથરાય એવી પ્રાંજલ કામના…
એટલે જ તો એ ગાઈ ઊઠે છે :
શમો ઝઘડા વધો મૈત્રી, દયાનું રાજ્ય વર્તાજો;
વધોને જ્ઞાનની જયોતિ, નૂતન વર્ષે નવી આષી…
ગત વર્ષની આપત્તિઓનો અંત આવે, દુઃખો ટળી જાય અને એ રીતે માનવમાત્ર સુખી બનીને સરસ મજાનાં ધર્મકાર્યો કરે, સત્યના રાહે આગળ વધે એવી “અસતો મા સદ્ ગમય”ની મંજુલ ભાવનામાં કવિ જયારે ગરકાવ થઈ જાય છે ત્યારે એ બોલી ઊઠે છે :
સુખી થાઓ કરો કાર્યો, ભલાં જે ધર્મનાં ઊંચાં;
છવાજો સત્ય સર્વત્ર, નૂતન વર્ષે નવી આષી…
કવિ નથી ઇચ્છતા કે તમે માત્ર સંસારના વૈભવમાં આળોટો! એ તો બહુ દૂર નજર દોડાવીને તમને શાશ્વતની ઉપલબ્ધિના આશીષ પાઠવે છે. ભૌતિક વૈભવ તો આજ છે ને કાલ નથી, પણ સદ્ગુણોનો ખજાનો અને આત્મવૈભવ તો શાશ્વત છે, સનાતન છે, ચિરંજીવ છે. એવા વૈભવના તમે સ્વામી બનો એવી મનોભાવનાથી જ એમના હૈયામાંથી શબ્દો સરી પડે છે :
પ્રભુના ભક્ત સહુ થાજો, અનંતા સદ્ગુણો પ્રગટો;
ટળો સૌ દોષ કર્મોના, નૂતન વર્ષે નવી આષી…
ગુમાવેલું કૌવત પાછું મળે, આત્મશક્તિનું સ્વામિત્વ મળે, પ્રભુસેવાની મગ્નતા મળે, માનવસેવાનાં અરમાન જાગે, આત્મવિજ્ઞાનનો સર્વતોમુખી વિકાસ થાય, માનવમાત્ર યશસ્વી બને એવી કામના આવા અવસરે કવિ ન કરે તો કેમ ચાલે! એટલે જ તો એ કહે છે :
નૂતન શક્તિ નૂતન ભક્તિ, નૂતન સેવા નૂતન શોધો;
ભલી કીર્તિ ભલી વિદ્યા, નૂતન વર્ષે નવી આષી…
કહેવાનું ઘણું છે, મંગલકામનાઓ ઘણી વ્યક્ત કરવી છે, પણ છેવટે તો થોડું કહ્યું ઝાઝું માની લેજો એમ કહીને કવિ વિરમે છે :
સદા લક્ષ્મી વધો સારી, મળો ને મંગળો સઘળાં;
“બુદ્ધ્યબ્ધિ” બહુ ચિરંજીવો, નૂતન વર્ષે નવી આષી…
હું પણ પૂજનીય ગુરુમહના સૂરમાં સૂર પુરાવીને આપને શુભકામના અર્પું છું.
નૂતન વર્ષની મંગલકામના…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Visit also : http://www.facebook.com/mitranandsagar
*
This message was sent to you by :
Muni Mitranandsagar
Vejalpur, Amdavad 380051
Gujarat (India)
પ્રિય સ્વજનો,
નૂતન વર્ષાભિનંદન !
રંગોથી ઉઘડતા પ્રભાત
અને રોશનીથી ઉભરાતી રાત્રિના
આ અદભુત ઉજવણે
પ્રાર્થીએ છીએ કે
આપની
પ્રત્યેક ક્ષણોમાં પ્રગટે ગાન પંખીના
ફૂલોભર્યો પવન કરે મન સુગંધી
ને
અજવાળું અંદરનું
કરી દે સઘળું
ઝળહળ ઝળહળ !!
રેખા-પ્રતાપ,અવનિ અને અદિતિ
http://axaypatra.wordpress.com